
સ્વતંત્રતાના 64મા વર્ષનો મંગલપ્રવેશ, ભારતવાસીઓને મંગલમય બને એવી શુભકામનાઓ કરવી એ આપણી પરંપરા છે. દર વર્ષે 15મી ઓગસ્ટે સૌ આ શુભકામના કરે છે. પરંતુ 63 વર્ષની પરિપક્વ લોકશાહીનું શાસન પ્રજાલક્ષી કે પ્રજાકલ્યાણલક્ષી હોવાને બદલે વૈશ્ર્વિક અગ્રીમતા મેળવવાના ધ્યેયનું જ રહ્યું છે. ભારત સુજલામ્-સુફલામ્ બને તે માટે પ્રજા વિશ્ર્વાસપૂર્વક શાસનકર્તાઓને સહકાર આપી રહી છે. છતાં તેમણે પ્રજાદ્રોહને પ્રાધાન્ય આપી ભ્રષ્ટાચાર તેમજ કરોડોના કૌભાંડો કરી પ્રજાને બેહાલ અને લાચાર બનાવી છે તે કડવું સત્ય મને-કમને સૌએ સ્વીકારવું પડશે. અધૂરામાં પૂરું આંતરિક અને બાહ્ય આતંકવાદી પરિબળો રાષ્ટ્રીય અને વ્યક્તિગત માલ-મિલકતને નુકસાન તથા નિર્દોષોની જાનહાનિ ...

ભારતીય ટીમનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, શાહરૂખખાન, આમીરખાન એ આજના જમાનામાં સૌથી અપીલીંગ ફેસ છે. એમના નામે કોઈપણ વસ્તુ માર્કેટમાં મૂકો મતલબ જાહેરાત કરો અને રિસ્પોન્સ ન મળે તો પૈસા પાછા એમ કહી શકાય એટલી તેઓની પ્રચંડ લોકપ્રિયતા છે. એટવર્ટાઈઝ અને માર્કેટિંગના સંદર્ભે કહીએ તો બ્રાન્ડવેલ્યુ છે. તેમાંય ધોનીએ તો હાલ સચિનના રેકોર્ડને પણ બ્રેક કરીને સૌથી ધનવાન ક્રિકેટરનું બિરુદ મેળવી જ લીધું છે. લેકિન.. આજથી 20-30 વર્ષ પહેલાની વાત કરીએ તો એડવર્ટાઈઝ જગતના સુપરસ્ટાર કોણ હતા ખબર છે ? ઉપરની તસવીર તો જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. ...

