શાન-એ-ઈરાન ! 

નિલેશ ધોળકિયા નાગરિકોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ જાગે તો જ મા ભોમકા જગતમાં ઊંચા માથે વટભેર મ્હાલી શકે! જે દેશ મહિનાઓથી જગત જમાદાર એવા અમેરિકા સામે લડી રહ્યું હતું, તે ઈરાનની આંતરિક પરિસ્ઙ્ખિતિઓ વિચારતા કરી મૂકે તેવી છે. આ માટે તે દેશની પ્રજાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર બેશક પ્રશંસનીય કહી શકાય. કારણ કે દરેક ઈરાની માનસિક …

નિલેશ ધોળકિયા

નાગરિકોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ જાગે તો જ મા ભોમકા જગતમાં ઊંચા માથે વટભેર મ્હાલી શકે! જે દેશ મહિનાઓથી જગત જમાદાર એવા અમેરિકા સામે લડી રહ્યું હતું, તે ઈરાનની આંતરિક પરિસ્ઙ્ખિતિઓ વિચારતા કરી મૂકે તેવી છે. આ માટે તે દેશની પ્રજાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર બેશક પ્રશંસનીય કહી શકાય. કારણ કે દરેક ઈરાની માનસિક રીતે સંતુષ્ટ અને ખુશ દેખાય છે.

સહ-શિક્ષણના નામે કોઈ અનૈતિક કેન્દ્ર નથી, કોઈ વિદેશી શાળા કે કોલેજો નથી. ઈરાનમાં શિક્ષણ મફત છે, તેથી લગભગ દરેક બીજો યુવાન એન્જિનિયર, પીએચડી અથવા માસ્ટર ડિગ્રી ધરાવે છે. મંત્રીઓ અને સેનાપતિના બાળકોને વિદેશમાં અભ્યાસ કરવાની મંજૂરી નથી.

સરકારી અધિકારીઓ અને વહીવટકર્તાઓ વિદેશમાં બેંક ખાતા રાખી શકતા નથી. કોઈ મંત્રી કે જનરલ દેશની બહાર બીજું ઘર ધરાવતા નથી. કોમ્યુનિટી કિચન હોવાથી ઈરાનમાં ઘરે રોટલી રાંધવા પર પ્રતિબંધ છે, જેથી મહિલાઓ અભ્યાસ કરી શકે અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે. ડિલિવરી (બાળજન્મ) મફત છે. બાળજન્મ સમયે ભેટ તરીકે નવજાતની માતાના ખાતામાં ભારતીય કરન્સી પ્રમાણે ૨૦,૦૦૦થી વધુ રૂપિયા ટ્રાન્સફર થાય છે. તબીબી સારવારમાં ૭૦% ખર્ચ સરકાર દ્વારા અને ૩૦% દર્દી દ્વારા ચૂકવવામાં આવે છે. ઈરાનમાં કોઈ ચોરી કે લૂંટ થતી નથી. કોઈ શાહી સંસ્કૃતિ કે પ્રોટોકોલ નથી. ઈરાનમાં ભિખારી નથી.

ઈરાનના સુપ્રીમ લીડરે પોતાનું ઘર પણ ખરીદ્યું નથી. ચીફ લીડર દિવસમાં અઢાર કલાક કામ કરે છે. રાતોરાત અહીં કિંમતોમાં વધારો થતો નથી; તેના બદલે સરકાર સંસદમાં બિલ રજૂ કરે છે અને પછી સર્વોચ્ચ લીડર નિર્ણય લે છે. વર્ષમાં ફક્ત એક કે બે વાર ભાવમાં ૨ થી ૩%નો વધારો થઈ શકે છે. પ્રાર્થના ન કરવી એ દોષ માનવામાં આવે છે.
ઈરાનમાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી પોલીસ ખૂનીના ઘરમાં પણ પ્રવેશી શકતી નથી, કારણ કે તે સમય તેના પરિવાર માટે છે. જેલ ખાલી છે અને જો કોઈ ગુનો કરે છે તો તેને જેલમાં કામ આપવામાં આવે છે.

કેદીનો પગાર તેના પરિવારને મોકલવામાં આવે છે, જેથી તેઓ આર્થિક તંગીને કારણે બીજી અનૈતિક પ્રવૃત્તિઓમાં ન ફસાય. શુક્રવારના ઉપદેશ દરમિયાન વહીવટને ચેતવણી આપવામાં આવે છે. શુક્રવારની નમાજ દરમિયાન મંત્રીઓ અને વહીવટી અધિકારીઓ પહેલી હરોળમાં હાજર હોય છે.

ઈરાનમાં મોટા કે નાના પરિવારનો કોઈ ખ્યાલ નથી; રાષ્ટ્ર સૈયદ અને બિન-સૈયદમાં વહેંચાયેલું છે. શિક્ષકોનું ખૂબ સન્માન કરવામાં આવે છે અને તેમને પોલીસ સ્ટેશન કે કોર્ટમાં બોલાવી શકાતા નથી, કારણ કે શિક્ષક આવા કૃત્ય કરતો નથી. ત્યાં નોકર રાખવાની પણ કોઈ પરંપરા નથી.
ભારતીયોને જાત સાથે વાત કરતા એ સવાલ ચોક્કસ થવો જોઈએ કે, આશરે પાંચ દાયકાઓથી પ્રતિબંધો અને યુદ્ધથી પીડાતા ઈરાનમાં આ કેવી રીતે શક્ય છે?

ઈરાનના લોકો દ્વારા યુદ્ધમાં અત્યાર સુધી કોઈ દેશ પાસેથી કોઈ નાણાકીય સહાય લેવામાં આવી નથી. અંદાજે ૧૦૦થી વધુ દિવસો સુધી યુદ્ધ અને રાત-દિવસ સતત બોમ્બમારો થવા છતાં એક પણ ઈરાની દેશમાંથી સ્થળાંતરિત થયો નથી. તેના બદલે, વિદેશમાં રહેતા ઈરાનીઓ પોતાના વતનનું રક્ષણ કરવા પાછા ફરી રહ્યા છે.
ઈરાનમાં લોકડાઉન શબ્દ ઈરાનીઓ માટે અજાણ્યો છે. મોટા વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે : ‘હમણાં માલ લો અને યુદ્ધ પછી ચૂકવણી કરો.’

યુદ્ધ અને બોમ્બમારા દરમિયાન મંત્રીઓ શેરીઓમાં જનતા વચ્ચે હાજર હોય છે અને અમેરિકન વિરોધી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લે છે. ઈરાની નેતાઓ કિંમત અને સુવિધાઓ ચકાસવા માટે શોપિંગ મોલની મુલાકાત લે છે.
ખાદ્ય પુરવઠા માટે કોઈ અપીલ કરવામાં આવી નથી. દવા માટે કોઈ અપીલ કરવામાં આવી નથી. યુદ્ધ શરૂ થતાંની સાથે જ દેશમાં બ્રેડ, પેટ્રોલ અને ડીઝલ મફતમાં આપવામાં આવ્યા હતા.

કોઈપણ દેશની સાચી શક્તિ માત્ર તેની સેનામાં નહીં, પરંતુ તેની પ્રજાની એકતા અને દેશપ્રેમમાં રહેલી હોય છે. રાષ્ટ્રના હિતને સર્વોપરી માનવાની ભાવના જ દરેક દેશની સૌથી મોટી તાકાત છે.
છલોછલ વતન પરસ્તી, માતૃભૂમિ ધર્મ અને ગફશિંજ્ઞક્ષ ઋશતિનિીં કર્તવ્યપરાયણતા આપણે સૌએ ઈરાનીઓ પાસેથી શીખવી જોઈએ કે નહીં!?

 

 

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *