Category: News

HomeNews

સુગમ સંગીતનો ‘ગૌરાંગ’ સૂર આથમી ગયો

નરેશ અંતાણી  પદ્મશ્રી પુરસ્કૃત સંગીતકાર અવિનાશ વ્યાસના સુપુત્ર અને ગુજરાતી સુગમ સંગીતકાર ગૌરાંગ વ્યાસ ના નિધનથી ગુજરાતી સુગમ સંગીતનુ સ્વર જગત રાંક બન્યું છે. તેઓ 87 વર્ષના હતા. તેઓ ગુજરાતી ચલચિત્ર સંગીત, સુગમ સંગીત અને લોકસંગીતના  એક દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક કલાકાર હતા. પિતાના ભવ્ય વારસાને ગૌરાંગભાઈએ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે આગળ ધપાવ્યો હતો. ૨ સપ્ટેમ્બર …

ખગોળવિજ્ઞાનથી ગ્રહ સંરક્ષણ સુધી એસ્ટ્રોઈડનું રહસ્ય અને ભારતની તૈયારી

-ફાલ્ગુની વસાવડા30 જૂન વર્લ્ડ એસ્ટ્રોઈડ ડે! શું છે એસ્ટ્રોઈડ? અને એનાથી આપણને શું નુકસાન થઈ શકે? હિન્દુ સંસ્કૃતિમાં જો કોઈ વિષયને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હોય તો તે ખગોળશાસ્ત્ર છે. ગ્રહ-નક્ષત્રોના સ્થાનના આધારે વાર, તિથિ, મહિના તેમજ સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષની ગણતરી કરવામાં આવે છે, જેને આપણે પંચાંગ કહીએ છીએ. નાસા અને ઈસરો જેવી સંસ્થાઓની સ્થાપના …

શાન-એ-ઈરાન ! 

નિલેશ ધોળકિયા નાગરિકોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’નો ભાવ જાગે તો જ મા ભોમકા જગતમાં ઊંચા માથે વટભેર મ્હાલી શકે! જે દેશ મહિનાઓથી જગત જમાદાર એવા અમેરિકા સામે લડી રહ્યું હતું, તે ઈરાનની આંતરિક પરિસ્ઙ્ખિતિઓ વિચારતા કરી મૂકે તેવી છે. આ માટે તે દેશની પ્રજાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર બેશક પ્રશંસનીય કહી શકાય. કારણ કે દરેક ઈરાની માનસિક …

વેનેઝુએલાનો વિનાશક ભૂકંપ શું ધરતીનું રેડ સિગ્નલ કે ટેક્ટોનિક પ્લેટોનું સ્વાભાવિક વિજ્ઞાન?

-દીપક જગતાપ  બાળપણમાં રમત સ્વરૂપે પત્તાના મહેલની રમત રમતા હતા. ખૂબ જ મહેનત કરીને બનાવેલો પત્તાનો મહેલ સહેજ આંગળી અડતાં જ કડડભૂસ થઈને ધરાશાયી થઈ જતો. તે સમયે તે માત્ર એક રમત હતી, પરંતુ તાજેતરમાં વેનેઝુએલામાં થયેલ ભૂકંપ પછી ગગનચુંબી ઈમારતોને પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોતી બાળપણની એ સંવેદના આજે વેદનામાં પરિણમી છે. ત્યારે …

‘માણસ માટેની મરણમૂડી છે સોનું…’

શશીકાંતભાઈ પાટડીયા - ‘રાધિકા જ્વૅલર્સ’ સોનાની વાત આવે એટલે સહજ    રીતે ચહેરા પર એક જુદા જ પ્રકારની ચમક છવાઈ જાય અને તેમાંય જો આપણે ગુજરાતી હોઈએ તો તો ગાંજ્યા ના જઈએ. સોનું છે જ ગુજરાતીઓના વૈભવશાળી વારસાનું પ્રતિક. કોઈની સામે પોતાની વૈભવ સમ્પન્નતા અને સુખ-સાહ્યબીની ઝળહળાટના મોં છૂટા વખાણ ન કરે તો આપણી ઓળખાણ …

અબોલ જીવોના સ્વજન:સમસ્ત મહાજન

અમદાવાદ ખાતે જીવદયાપ્રેમીઓના યોજાઇ ગયેલા બે દિવસીય સંમેલનમાં સમસ્ત મહાજન દ્વારા કરુણા ફાઉન્ડેશનને મુખ્યમંત્રીના હસ્તે અદ્યતન એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી... દુનિયામાં ભારત એક એવો દેશ છે જેની સંસ્કૃતિમાં ગાય, ગંગા અને ગીતાને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં ભારતમાં ગંગા શુદ્ધિકરણ અભિયાન, સંસ્કૃત વિદ્યાપીઠ-પાઠશાળા દ્વારા વૈદોના માહાત્મ્યથી ગીતાજીનું જતન અને ગૌવંશ હત્યા પ્રતિબંધ સાથે …

ભ્રમણકક્ષામાં સુવર્ણાક્ષરે લખાયું ભારતનું નામ

વિમિષ પુષ્પધનવા [divider][/divider] ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલેકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝશને (ઇસરો) ૧૫મી તારીખે આખા દેશની સવાર સુધારી દીધી. ૧૦ વાગે હજુ તો લોકો પોતાની ઓફિસે પહોંચતા હોય, કામ શરૂ કરતાં હોય, દિવસનો પ્રારંભ થતો હોય ત્યાં જ ૧૦૪ ઉપગ્રહો એક જ રોકેટ દ્વારા પ૦૫ કિ.મી. ઊંચી ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા હતા. એ સાથે એક …

  • 1
  • 2