
ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભગવાન શિવનું એક મંદિર છે જે કહેવાય છે કે ભૂતો દ્વારા નિર્માણ પામેલું છે. તેને ભૂતોનું મંદિર કે લાલ મંદિર પણ કહેવામાં આવે છે. તેની પાછળ એક એવી કિવદંતી પ્રચલિત છે કે આ મંદિરનું નિર્માણ ભૂતોએ માત્ર એક રાતમાં જ કરી દીધુ હતું. ભગવાન શિવે સ્વયં ભૂતોને મંદિર નિર્માણ કરવા આજ્ઞા આપી હતી. કંકનમઠ મંદિર નામના આ શિવાલયની રચના હજારો વર્ષ પહેલાં થઈ હતી. તે દરમિયાન અનેક કુદરતી હોનારતો થઈ પણ મંદિરને ઉની આંચ નથી આવી. લોકો કહે છે કે ભૂતોએ એક રાતમાં જ મંદિર બનાવી દીધું હતું પણ સવારે કોઈ મહિલાએ ઘંટી વગાડવાનું શરૂ કર્યું ત્યારે ભૂતો મંદિરનું બાંધકામ છોડી ભાગી ગયા હતા. આ લોકોકિતનું કોઈ પ્રમાણ નથી પણ અહીં અનેક લોકો દર્શન માટે આવે છે.
Feelings Post – November 2025
Feelings, one of India’s most trusted family magazine

