ઓપ્ટિક હાઉસ એ માત્ર ઓપ્ટિશિયન જ નહીં પણ, આંખોની માવજત માટે લોકોને નવા દ્રષ્ટિકોણ સાથે જાગૃત કરે છે..!

ઓપ્ટિક હાઉસ એ માત્ર ઓપ્ટિશિયન જ નહીં પણ, આંખોની માવજત માટે લોકોને નવા દ્રષ્ટિકોણ સાથે જાગૃત કરે છે..!

- in Other Articles
1804
Comments Off on ઓપ્ટિક હાઉસ એ માત્ર ઓપ્ટિશિયન જ નહીં પણ, આંખોની માવજત માટે લોકોને નવા દ્રષ્ટિકોણ સાથે જાગૃત કરે છે..!
eye-care

હેમરાજ

img-3

વિશ્ર્વ આખુંય સરસ અને રમણીય છે જ, પણ તેની સાથેસાથે માણસે કરેલા સંશોધનો અને અવનવા સર્જનોથી ભૌતિક રીતે પણ એટલું જ આકર્ષક બની રહ્યું છે.

વિશ્ર્વની આ પ્રાકૃતિક અને માનવસર્જિત સુંદરતાને નિહાળવા માટે કુદરતે ધરતી પરના દરેક જીવને એક સુંદર અંગ તેના શરીરમાં આપ્યુું છે.. તે છે આંખો…! જો આંખો ન હોત તો કદાચ આ વિશ્ર્વની સુંદરતા સાથે લાગણીઓના સ્પર્શને પણ અનુભવવો મુશ્કેલ હોત.

ઓપ્ટિક હાઉસના શ્રી જગદીશભાઈ પોતે આંખોનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવે છેે તેમની ઓપ્ટિક હાઉસની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પોતાના જીવનની કારકિર્દીની એક જુદી જ દિશા તરફ તેમણે કરેલી શરૂઆતથી..!

શિક્ષણ ક્ષેત્રે મિકેનિકલ ડિગ્રી લઈ શરૂઆતી વ્યવસાયમાં જગદીશભાઈ (સ્પેક્ટેકલ)ગ્લાસ મેન્યુફેક્ચરીંગનું કામ કરતા હતા. તે દરમ્યાન તેમને આંખો અને આંખના ચશ્મા વિશેનો એક નવો જ વિચાર સ્ફૂર્યો. એટલે એ બાબતે તેમનેે એક ઓપ્ટિશ્યન તરીકે અને ચશ્માના ગ્લાસ (એટલે કે ચશ્મા) બનાવવાના વ્યવસાયમાં સ્વાર્થ સાથે લોકોના હિતમાં પણ કંઈક સારું કરીને સમાજની જવાબદારીઓ પૂર્ણ કરી શકાય તેવો વિચાર આવ્યો. જેને અમલમાં મૂકી શ્રી જગદીશભાઈએ ઓપ્ટિક હાઉસની વર્ષ ૧૯૯૩માં શરૂઆત કરી. જગદીશભાઈ તેમની ઓપ્ટિક હાઉસની હાયટેક આય કેર સેન્ટરમાં સંપૂર્ણ સાયન્ટિફિક એન્ડ મેડિકેટેડ સિસ્ટમથી આય કેરીંગ પૂરી પાડે છે.

શ્રી જગદીશભાઈ સાથે તેમના ઓપ્ટોમ એટલેકે આંખના નંબર ચૅક કરનારા આય પ્રોફેશનલ શ્રી સંતોષભાઈ સાથે આ વિષય બાબતની જાણકારી મેળવતા તેમણે આંખ માટે ખૂબ જ સરસ વાત  કહી હતી.

આંખોનું શરીરમાં કેટલું મહત્વ છે તે બાબતે પૂછતા શ્રી સંતોષભાઈ જણાવે છે કે, ‘આંખો એ શરીરની બારી છે જ્યાંથી તમે જગતને નિહાળી શકો છો.’ આંખ આખા શરીરનો માત્ર ૨% કરતા પણ ઓછો હિસ્સો ધરાવે છે. પરંતુ તે એકમાત્ર અંગ છે જે સિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે.

આંખોનું કામ ઈમેજ બનાવવાનું છે જ્યારે જોવાનું કામ મગજનું છે. આ કુદરતની એક અદભૂત વિઝ્યુઅલ સિસ્ટમ છે જે આ કામ કરે છે. આ બાબતે આંખોની વિશેષ માહિતી આપતા ઓપ્ટોમ સંતોષભાઈ અને જગદીશભાઈ જણાવે છે કે, આપણાં દેશમાં આંખો વિશેની જાગૃતિ ઓછી છે. આજે આપણાં દેશમાં જેવી રીતે ઈન્ટરનેશનલ લેવલનું હેલ્થકેર સેગમેન્ટ છે તેવું અલાયદું આયકેર સેગમેન્ટ નથી વિકસાવાયું. આંખોની કૅર લેતું આ પ્રોફેશન ત્રણ જુદી જુદી કેટેગરીઝમાં વિભાજિત થયેલું છે. જેમાં

૧) ઓપ્થેલ્મોલોજિસ્ટ  :- તેઓ પણ મેડિકલ ડૉક્ટર્સ છે જેઓનું કામ તેઓ મેડિકલ સુપર સ્પેશ્યાલિટી ડોક્ટર છે. તેઓનું કામ આંખની તપાસ, સર્જરી તથા મેડીસીન પ્રિસ્ક્રાઈબ કરવાનું છે. સાથે તેઓ ચશ્માના નંબર પ્રિસ્ક્રાઈબ કરવાનું કામ કરે છે.

૨) ઓપ્ટોમેટરિસ્ટ:- ઓપ્ટોમેટ્રિસ્ટ આ વિષયમાં સ્નાતક અથવા ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે. જેનું મુખ્ય કામ બન્નેવ આંખોની દ્રષ્ટિ તપાસવાનું તથા તેના અનુસાર ચશ્મા, કોન્ટેક્ટ લેન્સલ, લો વિઝન અથવા વિઝન થેરાપી અંગે  પ્રિસ્ક્રાઈબ કરવાનું કામ કરે છે.

૩) ઓપ્ટિશિયન :- તેઓ આય કેર ટીમનો એક મહત્વનો ભાગ છે. તેઓ મુખ્યત્વે ઓપ્ટોમેટ્રિસ્ટ અથવા ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા પ્રિસ્ક્રાઈબ કરેલા ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને અન્ય આંખોને લગતા ઓબ્જેક્ટ્સ બનાવવાનું અને વેચવાનું કામ કરે છે.

આજના સમયની આંખો પર મહત્તમ વાર કરતી આધુનિક ઈલેકટ્રોનિક ટેકનોલોજિ:-

ડિજીટલ એનવાયર્મેન્ટ :- આજે આપણે જોઈએ છીએ કે નાના બાળકો  ઈલેકટ્રોનિક ગેજેટ્સ સાથે રમતા હોય છે. આ ઈલેકટ્રોનિક ગેજેટ્સમાંથી મહત્તમ ઈન્ફ્રારેડ રેઝ અને બ્લ્યુ હાર્મફુલ લાઈટ્સ પસાર થાય છે. જેથી આંખો પર ડિજીટલ સ્ટ્રેસ ડેવલપ થાય છે. આ બ્લ્યુ રેઝ ખાસ તો એલઈડી લાઈટ્સ, મોબાઈલ, લેપટોપ, ટેબલેટ્સ, ડિજીટલ કેમેરા, સાથે અન્ય બ્લ્યુ રેઝથી બાળકોની આંખો પર ખૂબ જ માઠી અસર પડે છે. તેવી જ રીતે વીડિયો ગેમ્સ અને ટી.વી. તથા ડિજીટલ સ્ક્રીનનો વધુ ઉપયોગ પણ આ બાબત માટે કારણભૂત પરિબળ છે.

કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ :- આજકાલ કોમ્પ્યુટર પર કામ કરવાનો ટ્રેન્ડ જ નહીં પણ સમયની માંગ પણ બની ચૂક્યું છે. પરંતુ આ કોમ્પ્યુટર સ્ક્રીન પર સતત ૩ કલાકથી વધારે કામ કરતા બેસી રહેવાથી કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની નવી બિમારી શરૂ થઈ છે. આજકાલ બાળકોમાં આઉટડોરની જગ્યાએ ઈનડોર એક્ટીવીટીઝનું પ્રમાણ વધતું જાય છે. જેને લીધે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ પણ એટલો જ વધારે ડેવલપ થઈ રહ્યો છે.

અલ્ટ્રા વાયોલેટ રેઝ  :-

અલ્ટ્રા વાયોલેટ રેઝમાં આંખમાં બળતરા, પાણી નીકળવું, હેડેક, આંખમાં ખંજવાળ, ડબલ વિઝન, જેવા લક્ષણો હોય છેે. આ અલ્ટ્રા વાયોલેટ રેઝ કલોરોફોર્સ નામના મોલેક્યુલ્સ જે આંખના સેલ્સ અને ટિશ્યુઝમાં હોય છે તેની પર અસર થાય છે. જો વધારે પડતો યુ.વી. પ્રકાશ આંખો પર આવે તો તેના કારણે આંખોનો લેન્સ અને રેટિના ડેમેજ થવાનો સંભવ રહે છે.

આંખોના જતન માટે કેટલીક મહત્વની ટીપ્સ :-

૧)આંખોનું ઓપ્ટોમેટ્રિસ્ટ/ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા ડિજિટલ આય ચૅક અપ કરાવો.

૨) આંખોને સ્વસ્થ રાખો. લીલા શાકભાજી અને યલો ફ્રૂટ્સવાળો ખોરાક લેવો. આઉટડોર ગેમ્સ વધુ રમવી.

૩) પારિવારિક ઈતિહાસ જાણવો. જેમાં કોઈને રંગઅંધાપો કે ગ્લકોમા અથવા ચશ્માના વધુ નંબર હતા કે કેમ?

૪) સનગ્લાસીસ ફરજીયાત પહેરો. યુ.વી. અને બ્લ્યૂ રેઝથી આંખોને બચાવો. ગરમી અને ડસ્ટથી પણ આંખોનું રક્ષણ કરો.

ઓપ્ટિક હાઉસના ધ્યેય અને અંધત્વ રોકવાના ઉપાયો….

img-2

ઓપ્ટિક હાઉસ આંખોના જતન અને નંબર આવતા પહેલા આંખોની કાળજી રાખવા માટે શું કરી શકાય તેના માટે કેટલાક સરસ ધ્યેય લઈને આવ્યું છે. તેની સાથે ઓપ્ટિશિયનની કેટલી તાતી જરૂરિયાત છે કે જેના ચોક્કસ નિદાનથી આંખોનો એક્ઝેટ નંબર કે આંખો વિશેની તકલીફોનું યોગ્ય તે નિદાન કરી શકાયતેની વાત કરવામા આવી છે.

આ માટે ઓપ્ટિક હાઉસ દ્વારા ભારત સેવક સમાજની સાથે સંલગ્ન એવા કેટલાક ઓપ્ટિશિયન્સને લગતા કોર્સીસ શરૂ કરવામાં આવ્યા છે જે ‘ઓપ્ટિક હાઉસ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓપ્ટોમેટરી’ ના ઉપક્રમે નીચે જણાવેલ કોર્સીસ ચલાવવામાં આવે છે.

ઇજજ – ડીપ્લોમા ઈન ઓપ્ટોમેટરી એન્ડ પ્રાયમરી આયકેર.

સર્ટિફાઈડ ડિસ્પેન્સીંગ ઓપ્ટિશિયન :- ઓપ્ટિકલ મેનેજમેન્ટ

ડિપ્લોમા ઈન ઓપ્થાલ્મિક આસિસ્ટન્ટ :- આય હોસ્પિટલ આસિસ્ટન્ટ

ઉપરોક્ત ત્રણેય કોર્સીસમાં તેની પ્રારંભિક માહિતી, શિક્ષણથી લઈને આય હોસ્પિટલમાં આસિસ્ટન્ટ સુધીનું તમામ શિક્ષણ આપવામાં આવે છે. આ કોર્સીસનો હેતુ મૂળ રીતે આંખોની કેર માટે શું જરૂર છ,ે કેવી રીતે આંખોનું ચેક-અપ કરવું તેની સાથે આંખોને કેટલા નંબર છે તેની સાયન્ટિફિક માહિતી સાથે કેવા પ્રકારના ગ્લાસીસનો ઉપયોગ કરવો જેવી તમામ પાયાકીય માહિતીથી અવગત કરાવીને ઓપ્ટિશિયન્સ તૈયાર કરવામાં આવશે.

ઓપ્ટિક હાઉસના કાર્યો…

આ ઈન્સ્ટીટ્યુટમાં ઓપ્ટિક હાઉસ આય કેર પ્રોફેશનલ્સ તૈયાર કરી યોગ્ય રીતે આંખોને લગતી તકલીફોના નિદાન માટે કાર્ય કરે છે. એ સાથે જ સ્કૂલમાં પણ આય સ્ક્રીનીંગની સાથે આયકેર અવેરનેસ કેવી રીતે રાખવી તેની વિસ્તૃત માહિતી આપે છે.

img-1

Facebook Comments

You may also like

Two Mompreneurs from Atlanta wins GLOBAL WOMEN OF EXCELLENCE 2025

    Atlanta Georgia’ s Vani Ghanate and